અમદાવાદ ના રસ્તાઓ પર ફરતા ફરતા અવનવા માણસો અને લોકો ને મળવાનું થતું જ હોય છે. એક નાના માંગવા વાળા થી માંડી ને અમદાવાદ ના મેયર કે અમદાવાદ ના રેડિયો જોકી મિત્રો કે ઘણા ફિલ્મ સ્ટારો કે જે અમદાવાદ પધારતા હોય છે કે કોઈ ફિલ્મ ના ડીરેક્ટર જેમકે કેવી રીતે જઈશ ના અભિષેક જૈન કે વિપુલ વ્યાસ, અમદાવાદ ના રિક્ષાવાળા, દુકાન વાળા , લારી વાળા, ઘણા કોન્ત્રક્તારો કે મ્યુંનીસીપાલીતી ના પદાધિકારી ઓ ને , ઘણા સમાજ સેવકો કે ઘણા રાજકારણીઓને કે કોઈ સંસ્થા ના હેડ કે અમદાવાદ ની AMTS ના કંડકટર મિત્રો અને ડ્રાઈવર ભાઈ ઓ મળવાનું થતું જ હોય છે.
AMTS એ મારી નજરે મુંબઈ લોકલ સમાન બની ગયી છે અમદાવાદ નો કોઈ પણ નાગરિક એવો નઈ હોય કે જેને એ.એમ.ટી. એસ માં મુસાફરી ના કરી હોય. સવાર ના પહોર માં સાડા પાંચ વાગે પહેલી બસ શરુ થાય અને રાત્રે ૧૨ વાગે છેલ્લી ટ્રીપ પૂરી થાય. એ.એમ.ટી. એસ મારા માટે છેલ્લા ત્રણ અઠવાડિયા થી હું મુસાફરી કરું છું અને તે દરમ્યાન નાના મોટા સહુ કોઈને ને મળવા નું થાય છે . એ.એમ.ટી. એસ માં રેડિયો અને સ્પીકરો પણ આપેલા હોય છે જેમાં ગીતો તો વાગે જ છે પણ સાથે સાથે અમદાવાદી પબ્લિક પણ પોતાના મોબાઈલ માં વગાડે છે અને ધુમાડા ના પ્રદુષણ ની સાથે સાથે અવાજ નું પ્રદુષણ પણ વધારે છે આમ તો અમદાવાદી પોતે ખાવાના શોખીન જ હોય છે રોજ રાત્રે ૧૨ વાગ્યા સુધી માણેકચોક ના ખાણીપીણી બજાર માં હોય કે પછી પાણી પૂરી ખાવા માં તલ્લીન થઇ જતા હોય કે ઉપવાસ માં ફરાળી નવી વાનગી ની શોધ કરતા હોય છે જેમકે ફરાળી બિસ્કીટ,ફરાળી સેન્ડવિચ ,ફરાળી પિત્ઝા અને અત્યારે તો સરકારે ગુટખા પર પ્રતિબંધ મૂકી દીધો છે પણ અમદાવાદી તો ઓપ્સન તો શોધે જ ..ગુટખા ની જગ્યા એ મસાલા (માવા ) ખાવા નું ચાલુ કરી દીધું છે અને એ પણ હદ બહાર ના..અમદાવાદી દરેક કંડકટર બસ માં ભીડ ગમે તેટલી હોય પણ મસાલો ચોળ્યા વગર તો ચાલે જ નઈ ને બોસ..!! માવો ખાવો એટલે દરેક કંડકટર ભાઈઓનો જન્મસિદ્ધ હક બની ગયો છે પછી ભલે ને બિચારો ડ્રાઈવર શોર્ટ બ્રેક મારતો હોય..છતાય એ મસાલો ખાવા નું તો ના જ છોડે ને ને એમાય વળી લાલ દરવાજા આવે તો અવશ્ય ખાવા નીચે ઉતરે..(આમ તો બસ લખાવા ઉતરે )
દરેક કંડકટર જ્યાં જ્યાં બસ ઉભી રહે ત્યાં મસાલો ખીશા માંથી કાઢી ને ખાવા નું ચાલુ કરી દે અને એ મસાલો ખાય એટલે સ્વાભાવિક છે એટલે બોલાય તો નહિ જ..બધા ને મૂંગે મોઢે બિચારા ટીકીટ આપે અને ઘણા લોકો તો ટીકીટ લેવા માંય બંખ મારે ખાસ કરી ને કોલેજ કરતા નવજુવાનીયાઓ અને કંડકટર તો ઓળખીતો હોય તો પાછો એને માવો ખવડાવી દે એટલે ટીકીટ નઈ લેવાની અને વગર ટીકીટે મુસાફરી કરવાની..!!
થૂંકવા માટે તો બસ ની બારી છે જ પણ બસ માંથી થુંકે ત્યારે બીજા ને રંગી નાખે છે અને હવે તો એવું શીખ્યા છે કે બસ ના ખૂણા થુંકે બોલો..આતો થઇ કંડકટર ની વાત પણ આપણા માવો ખાતા અમદાવાદી ઓ પણ આવું જ કરે છે..
કહેવા ની એક જ વાત છે મારે તમને કે માવો મસાલા છોડી ને સારી જિંદગી જીવો..આ વ્યાસન ના રવાડે ના ચડશો નઈ તો નર્ક ની સીધી સીડી બતાવી દેશે..!!
વ્યષણ ના બદલે મુખવાસ કે ધાણાદાળ ની પડીકી લઇ ખાઓ એ ગુણ કરશે મસાલો તો ખાઈ ને થૂંકી જ નાખવા નો છે..!!
No comments:
Post a Comment